આજરોજ તા. ૧૭૦૩.૨૦૨૩ના રોજ ગેઝીયા અને જી.આઇ.ડી.સીના સંયુક્ત ઉપક્રમે “અનધિક્રુત બાધકામને
નિયમીત કરવા બાબત” વિષય અંગે માર્ગદર્શક સેમિનાર ગેઝીયા ઓડિટોરીયમ હોલ ખાતે યોજાયો. જેમાં
જી.આઇ.ડી.સીના સુપરીટે ન્ડન્ટ એન્જીનીયર શ્રી અભિષેક લાંગડે સાહેબ દ્વારા સંદર્ભિત વિષય બાબત વિસ્ત્રુત માહિતી
આપવામાં આવી. સદર માર્ગદર્શક સેમિનારમાં જી.આઇ.ડી.સીના નાયબ કાર્યપાલ્ક ઇજનેરશ્રી પી. એચ.મેનાત સાહેબ,
ગેઝીયા પ્રમુખશ્રી, સેક્રેટરીશ્રી, સેક્ટર-૨૮ જીઆઇડીસી એન્જીનીયરીંગ એસોસિએશનના પ્રમુખશ્રી તથા બન્ને
એસોસિએશનના ઉદ્યોગકારોએ મોટી સંખ્યામાં હાજર રહીને જી.આઇ.ડી.સી દ્વારા અમલમાં મુકવામાં આવેલ “ઇમ્પેક્ટફી” વિશે જાણકારી મેળવી અને પ્રશ્નોતરી દ્વારા વિસ્ત્રુત માર્ગદર્શન મેળવ્યુ હતું.






